Booking Chart

શ્રી ઉંધાડ પરિવાર સેવા સમાજ મુ. થાણાગાલોળ
  • સમાજ ભાડે રાખવા માટે સૌ પ્રથમ સમાજ ખાલી છે કે કેમ તેની જાણકારી મેળવી લેશો.
  • સમાજની એપ્લીકેશન માં જઈ ને તમામ વિગતો ભરી બુક બટન દબાવશો.
  • સમાજ બુક કર્યા બાદ 12 કલાકમાં ભાડું જમા કરાવીને રસીદ મેળવી લેશો.રસીદ હશે તોજ સમાજ કન્ફર્મ થયેલ ગણાશે. અન્યથા ઓનલાઈન બુકિંગ 24 કલાક બાદ આપોઆપ બુકિંગ રદ થઇ જશે.
  • સમાજ ભાડું ઉંધાડ કુટુંબ માટે લગ્ન પ્રસંગ રૂ.૫૧૦૦/- અને સગાઇ તથા અન્ય પ્રસંગમાં રૂ.૨૫૦૦/- રહેશે.
  • સમાજ ભાડું અન્ય કુટુંબ માટે લગ્ન પ્રસંગ રૂ.૧૧૦૦૦/- અને સગાઇ તથા અન્ય પ્રસંગમાં રૂ.૫૧૦૦/- રહેશે
  • ઉપરોક્ત ભાડામાં સમાજ અને વાસણ ભાડાનો સમાવેશ થયેલ છે તે ઉપરાંત ખુરશી,ગાદલા,મંડપ,નેટ,લાઈટ બીલ વિગેરેનો અલગથી ચાર્જ ભરવાનો થશે.
  • સમાજમાં રાત્રે પ્રસંગ રાખવાનો હોય તો બે દિવસ માટે સમાજ બુક કરવાનો થશે ,અને બે દિવસનો ચાર્જ જમા કરવાનો રહેશે.
  • સમાજ જે તારીખ માટે બુક કરેલ હશે તેના આગલા દિવસે બપોરે 3.૦૦ કલાકે સમાજ સોપવામાં આવશે અને બુક કરેલ તારીખે બપોરે 3.૦૦ કલાકે સમાજ ખાલી કરવાનો થશે.
  • સમાજમાં પાણી માટે દાર અને કનેક્શનની વ્યવસ્થા કરેલ છે પરંતુ ક્યારેક પાણીની અછતના સમયે પાણીની વ્યવસ્થા ભાડે રાખનારે કરવાની રહેશે.
  • સમાજમાં પ્રસંગ પૂર્ણ થયે વ્યવસ્થિત સાફ-સફાઈ ભાડે રાખનારે કરવાની હોય ,આ અંગે સફાઈ થયેલ નહિ હોય તો રૂ.૨૦૦૦/- સફાઈ મજુરીના વસુલ કરવામાં આવશે.
  • સમાજ ની કોઈપણ ચીજ વસ્તુની નુકશાન થશે કે ખોવાઈ જવાના પ્રસંગે થતી નુકશાની ભાડે રાખનાર પાસેથી વસુલ કરવામાં આવશે.
  • સમાજ પરિસર માં કોઈપણ વ્યક્તિ નશાયુકત કે કેફી પદાર્થનું સેવન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  • ઉપરોક્ત તમામ નિયમો સમાજભાડે રાખનારને બંધનકર્તા રહેશે આ ઉપરાંત સમાજ ભાડે રાખ્યા બાદ વધારાના નિયમો અંગે નિર્ણય કરવામાં આવશે તો તે નિયમનું પણ પાલન કરવાનું થશે.


WELCOME TO UNDHAD PARIVAR SEVA SAMAJ

શ્રી ઉંધાડ પરિવાર સેવા સમાજનું નિર્માણ કરવાનો સૌપ્રથમ વિચાર શ્રી રમેશભાઈ ભગવાનજીભાઈ ઉંધાડ ને વષઁ ૨૦૧૦ માતાજી ના તિથિ પ્રસંગે આવતા તેવોએ સમાજ માટે જમીન શોધવાનું કાર્ય શરુ કરેલ હતું.

બાદમાં તેમને કોઈએ વાત મુકેલ કે ગામની બારોબાર રોડ ટચ ખેતીની જમીન આશરે ૩ વીઘા જેવી છે જે સાંભળીને તેવો એ આ જમીન સ્થળ જોવા તરત જ તૈયારી બતાવેલ અને જમીન ખરીદવા માટે ઝડપ થી વેચનાર સાથે બેઠક કરી હતી, અને આ જમીન ખરીદેલ હતી અને ખરીદેલી જમીન દાન માં આપવાની જાહેરાત કરેલ.

આ જાહેરાત અને વાત ધ્યાન માં રાખી તા. ૩-૫-૨૦૧૦ સાંજે ૮ કલાકે શ્રી ભીખાભાઇ હીરાભાઈ ઉંધાડ ની ઘરે ઉંધાડ કુટુંબ ના સભ્યો ની મિટિંગ રાખી સમાજ નું બાંધકામ કરવા માટે વિસ્તૃત ચર્ચા અને આયોજન કરવામાં આવેલ હતું જ નીચે મુજબ ની વિગતો ની ચર્ચા કરેલ:

  • ૧) સમાજ બનાવવા માટે ફાળો કરવા માટે ઉંધાડ પરિવાર ના સભ્યો પાસે ધારણ કરેલ જમીન વીઘા દીઠ રૂ.૧૦૦૦/- ધ્યાન માં રાખવા સંમતિ દર્શાવેલ હતી.
  • ૨) આ ફાળા ની થતી રકમ ત્રણ વર્ષમાં જમા કરવા માટે હપ્તા મુજબ ચૂકવવા તૈયારી દર્શાવેલ હતી.
  • ૩) જેમ જેમ ફાળા ની આવક થઇ એમ સમાજનું બાંધકામ કરવા માટે વ્યવસ્થા કરેલ હતી.
  • ૪) ઉંધાડ પરિવાર ના સભ્યો પાસે ટ્રેક્ટર અને મીની ટ્રેક્ટર ની તૈયારી થી જરૂરિયાત મુજબ સેવા આપવા મારે હાકલ કરેલ હતી.

આ મુજબ ઉપસ્થિત તમામ સભ્યઓ એ સમાજ માટે ઝડપભેર નિર્માણ કાર્ય પૂર્ણ થાય એવા શુભ હેતુ થી આગળ વધવા આહવાન કરેલ જ અવિરત નિઃશ્ર્વાથ ભાવ થી કામગીરી શરુ થયેલ હતી.

બાંધકામ શરુ થતા પેહલા જૂની કાંટાળી વાડ JCB થી દૂર કરી સાફ સફાઈ કરાવી, જમીનની માપણી કરી કઈ રીતનું બાંધકામ કરવું અલગ-અલગ આર્કિટેક્ટ પાસેથી પ્લાન, એસ્ટિમેટે જરૂરિયાત મુજબ તૈયાર કરાવતા મિટિંગ માં મૂકી આકૃતિ આર્કિટેક્ટે તૈયાર કરેલ પ્લાન મંજુર રાખેલ હતો, જેમાં સ્ટ્રકચ મુજબ ચાર માળ સુધી નું બનાવી હાલ બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર તૈયાર કરવા માટે જુદા જુદા કોન્ટ્રાક્ટર પાસેથી કામના ભાવ કોટેશન મંગાવી અલગ અલગ કામ મજૂરી થી કરાવેલ છે.